તારાપુર તાલુકાના આંબલીયારા નજીકથી પસાર થતી નહેરમાં પાણી છોડવામાં આવ્યું હતું.પરંતુ કાંસનો પાળો તૂટેલો હોવાના કારણે પાણી નજીકના ત્રણથી ચાર ખેતરોમાં ફરી વળ્યા હતા.જેના કારણે વાવેલા ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું હતું.આ મામલે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા તેણે પાઈપ દ્વારા ખેતરોમાં ભરાઈ રહેલા પાણી નિકાલનું કહ્યું હતું. અંદાજે આઠેક વીઘા જમીનમાં વાવેલા ઘઉંના પાકને નુકસાની પહોંચી છે. આથી થયેલ નુકસાની અંગે તાલુકા કચેરીએ રજૂઆત કરનાર હોવાનું જણાવ્યું હતું.