નડિયાદમાં કુતરાના ત્રાસમાંથી મુક્તિ મળશે: ખસીકરણ માટે મનપાનું મોટું ઓપરેશન, વેટરનરી હોસ્પિટલ પણ બનશે.. બે વર્ષમાં ડોગ બાઇટના 20 હજારથી વધુ કેસ. નડિયાદમાં રખડતા કુતરાનો ત્રાસ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. શહેરની સિવિલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, નડિયાદમાં દરરોજ આશરે 80થી વધુ લોકોને કુતરા કરડે છે. આ આંકડાઓ શહેરીજનોની સુરક્ષા પર ગંભીર સવાલ ઊભો કરે છે. કુતરા કરડવાના બનાવોમાં થયેલો વધારો સ્થાનિક પ્રશાસન માટે એક મોટો પડકાર બની ગયો છે.