ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ગંગાસ્વરૂપ (વિધવા) મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાના ઉમદા હેતુથી પાંચ મહિલાઓને સિવણ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વર્ધમાન નગરના દાતા સ્વ. ગોરીબેન મોહનલાલ મહેતાના સ્મરણાર્થે રમાબેન શિરીશભાઈ મહેતા (અમેરિકા) પરિવારના સહયોગથી યોજાયો હતો. સંસ્થાના સુરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, મહિલાઓ ઘરે બેસીને ગૌરવભેર પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે આ મશીનો આપવામાં આવે છે. નોંધનીય છે કે, માનવજ્યોત સંસ્થા અત્યાર સુ