ગાંધીનગર: ગાંધીનગર મેટ્રો મોટેરાથી સીધી મહાત્મા મંદિર સુધી દોડશે, આજે ટ્રાયલ રન કરવામાં આવ્યું
વિજયા દશમીના શુભ પર્વ નિમિત્તે ગાંધીનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન હેઠળ, હાલ સચિવાલય સુધી દોડતી મેટ્રો રેલની ટ્રાયલ રન હવે રૂટના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે.અક્ષરધામ સહિત આ 5 સ્ટેશન ઉમેરાશે.