સુરેન્દ્રનગર, જિલ્લા વહીવટી તંત્ર તથા સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા વઢવાણની ઐતિહાસિક ધરોહર માધાવાવ ખાતે “ઇન્ટેન્જિબલ દીપાવલી"ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે દીવડાઓ પ્રજ્વલિત કરી, અદભુત રંગોળીઓ બનાવી અને માધાવાવને ઝગમગતી રોશનીથી શણગારવામાં આવી હતી. વઢવાણ પ્રાંત અધિકારી શ્રી મેહુલ ભરવાડ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહીલ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.