78મા ભારતીય સેના દિવસ નિમિત્તે 7,800 કિલોમીટરની રાષ્ટ્રીય સાયકલિંગ યાત્રાએ નીકળેલ સાયકલિસ્ટ આશા માલવીયનું ગોધરા શહેરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું, આશા માલવીય 'નારી શક્તિ' અને 'દેશભક્તિ'નો સંદેશ લઈને જયપુર (દક્ષિણ પશ્ચિમી કમાન) થી કિબિથુ સુધીની અંદાજે 7,800 કિલોમીટરની રાષ્ટ્રીય સાયકલિંગ યાત્રા પર નીકળ્યા છે. 11 જાન્યુઆરી 2026ના રોજ જયપુરથી પ્રારંભ થયેલી આ યાત્રા આજે પંચમહાલ પહોંચી છે. અત્યાર સુધીમાં તેમણે 2,250 કિલોમીટરનું અંતર સફળતાપૂર્વક કાપ્યુ