આજે સવારે 11 વાગે મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા શહેરના વણઝારા વાસમાં રહેતા એક 16 વર્ષીય સગીર કે જે ચાંપલપુર વિસ્તારમાં પોતાના કુટુંબીના ઘરે ગયો હતો. તે દરમિયાન કોઈ કારણોસર સગીરને વીજ કરંટ લાગ્યો હતો. જેને લઈને તાત્કાલિક 108 મારફતે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અને ત્યારબાદ વધુ સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલમાં ખસેડાયો હતો.ત્યારે સગીરનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોક ની લાગણી પ્રસરી જવા પામી હતી.