તાલુકા પંચાયતના આઉટસોર્સ કર્મચારીને ફરજ મુક્ત કરવાના નિર્ણય સામે સરપંચ સંગઠનનો વિરોધ,તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું.મુખ્યમંત્રીને પત્ર પાઠવી નિર્ણય સ્થગિત રાખવા કરી માંગણી.તાજેતરમાં રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ૧૫ માં નાણાપંચ અને ઈ ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ અંતર્ગત આઉટસોર્સ સ્ટાફને ફરજમુકત કરવામાં આવતા વંથલી તાલુકાના સરપંચ સંગઠન દ્વારા આ બાબતે વિરોધ કરી નિર્ણયને સ્થગિત રાખવા અને યોગ્ય નીતિ ઘડવા અંગે રજૂઆત કરાઈ છે.