આજે બપોરે 2 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ સાબરકાંઠાના ડોભાડા અને ભંડવાલ ગામમાં બેંક દ્વારા સીલ કરાયેલા બે મકાનોમાં તેના મૂળ માલિકોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે લોન ભરપાઈ ન થતાં કોર્ટના આદેશથી બેંકે આ મકાનો સીલ કર્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે કુલ છ વ્યક્તિઓ વિરુદ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.