સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર આજે સાઉથ ઝોન-બી (કનકપુર) માં વેરા વસૂલાતની કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન વેરો ભરવામાં અનિચ્છા દાખવનારા કરદાતાઓની કુલ 57 મિલકતોને સીલ મારી દેવામાં આવી છે. નોંધનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પાલિકાની આક્રમક રણનીતિને કારણે આજ દિન સુધીમાં આ ઝોનમાંથી કુલ 42.05 કરોડની માતબર વસૂલાત કરવામાં આવી છે.