જુનાગઢમાં મહાશિવરાત્રી મેળામાં VIP કલ્ચર,ભરડાવાવ થી વાહન પ્રવેશબંદી સહિતના મુદાઓ મામલે કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળી હતી. બેઠકમાં સંગઠનના પ્રમુખો શહેર કોંગ્રેસના આગેવાનો સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું. વહીવટી તંત્ર પોતાની સગવટ સાચવવા માટે લોકોને હેરાન કરતું હોવાના પણ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આક્ષેપો કર્યા હતા.