મહુવા: અંબિકા તાલુકાના અનાવલ ગામે રમત ગમત વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જનજાતિય ગૌરવ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું
Mahuva, Surat | Nov 8, 2025 ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વલસાડના ઉમરગામ ખાતેથી નીકળેલી જનજાતિય ગૌરવ રથયાત્રા નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના સુરખાઈથી નીકળી સુરત જિલ્લાના અંબિકા તાલુકાના અનાવલ ગામે આવી પહોંચતા રમત ગમત વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ભવ્ય સ્વાગત કર્યું.