સુરત જિલ્લાના અંબિકા તાલુકાના સુનિલભાઈ કાંન્તુભાઈ પટેલ જેઓના ઘરના કોઢમાંથી ગાયનું બચ્ચું વાછરડો બાંધેલા ખુટા સાથે ગાયના બચ્ચાને ખેતરમાં લઈને દિપડો ભાગી ગયો હતો. તે સમયે બાજુમાં રહેતા સરપંચ ને ફોન કરતા તરત જ સરપંચના પતિ આવી પહોંચ્યા હતા. તેમજ ગામ લોકો પણ આવી પહોંચ્યા હતા અને ફોરવીલ ગાડીનો પ્રકાશ પાડી વાછરડા ને દીપડાના પંજામાંથી જીવતી હાલતમાં બચાવી લેવામાં આવ્યો હતો વન વિભાગને જાણ કરાતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવી દીપડા ને પાંજરે કેદ કરાયો હતો