ઉતરાયણ ના તહેવારને લઈને વન વિભાગ દ્વારા કરુણા અભિયાન શરૂ કરાયું છે જેમાં જૂનાગઢ જિલ્લાના 29 જેટલા સારવાર કેન્દ્રો બનાવી પશુ પક્ષીઓને સારવાર આપવાનું શરૂ કરાયું છે આજે જુનાગઢના મુખ્ય સારવાર કેન્દ્ર ભવનાથ વન વિભાગના રેસ્ટ હાઉસ ખાતે મેયર , ડેપ્યુટી મેયર, સહિતના પદાધિકારીઓ દ્વારા કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.. વન વિભાગના ડીસીએફ પણ હાજર રહ્યા હતા.