ડબકા મણિરામજી મંદિર ખાતે શંકરા આઈ હોસ્પિટલના સહયોગથી મફત મોતીયાબિંદ ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન ગામના નાગરિકોએ મોટી સંખ્યામાં તપાસ અને સારવારનો લાભ લીધો હતો. આ સેવા કાર્યોને સફળ બનાવવા ગામના યુવાનો તથા શંકરા આઈ હોસ્પિટલના સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન અને સહકાર આપ્યો હતો.