મેંદરડા તાલુકા પંચાયતમાં બાબાસાહેબ આંબેડકરના અપમાન મામલે દલિત સમાજનો કડક વિરોધ મેંદરડા તાલુકા પંચાયતમાં ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના અપમાનના ગંભીર મામલે સંડોવાયેલા અધિકારી વિશાલ પોકર દ્વારા આપવામાં આવેલી માફી દલિત સમાજ દ્વારા સંપૂર્ણપણે અસ્વીકારવામાં આવી છે. દલિત સમાજનું સ્પષ્ટ માનવું છે કે બાબાસાહેબ આંબેડકર માત્ર વ્યક્તિ નહીં પરંતુ કરોડો દલિતો, પીડિતો અને વંચિત વર્ગોના આત્મસન્માનનું પ્રતિક છે, તેમનો અપમાન કોઈપણ રીતે સ્વીકાર્ય નથી.