માણાવદર પંથકના ભીંડોરા ગામના યુવાન ગોવિંદભાઈ છૈયાએ હરિદ્વારથી ગંગાજળ ભરી શરૂ કરેલી કાવડ પદયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરવા જઈ રહ્યા છે. લગભગ 50 દિવસ ચાલેલી આ પદયાત્રામાં ગોવિંદભાઈએ અંદાજે 1700 કિલોમીટરનું અંતર પગપાળા કાપ્યું છે.યાત્રા દરમિયાન તેઓ હરિદ્વારથી વવાણીયા, શોભાવડલા, સોમનાથ અને ભાલકાતીર્થ થઈ આગળ વધ્યા હતા અને સોમવારે રાત્રે મઢડાધામ ખાતે રોકાણ કર્યું હતું.