થાનગઢ વરિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે ૩૯મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે યોજાયો હતો. આ વર્ષે સમૂહ લગ્નોત્સવમાં ચાર યુગલો લગ્નગ્રંથિએ જોડાયા હતા. દીપ પ્રગટાવી કાર્યક્રમની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી. પ્રજાપતિ સમાજ દ્વારા નવદંપતિઓને કરિયાવર રૂપે સોના-ચાંદીના દાગીના, કિચનવેર સહિત ઘરવખરીની કુલ ૧૨૫થી વધુ ઉપયોગી ચીજવસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી.