ગોધરા–દાહોદ હાઈવે પર પરવડી હનુમાનજી મંદિર નજીક કાળી ટાટા નેક્સોન કારએ પાછળથી બાઈકને ટક્કર મારતા અકસ્માત થયો હતો. બાઈકચાલક આતમભાઈ પટેલને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા પહેલા ગોધરા સિવિલ અને બાદમાં વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કારચાલકની બેદરકારીને કારણે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ અંગે ગોધરા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.