કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ખેડા જિલ્લાના ફાગવેલ પહોંચી.ફાગવેલ ખાતે કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જનતાના પ્રશ્નો અને અવાજને લઈને આગળ વધતી જન આક્રોશ યાત્રાનો દ્વિતીય ચરણની શરૂઆત ખેડા જિલ્લાના યાત્રાધામ ફાગવેલથી કરવામાં આવી. ફાગવેલધામના ભાથીજી મંદિરે ધ્વજારોહણ બાદ મહાસંમેલન યોજાયું હતું બપોરના સમયે સંબોધન બાદ જન આક્રોશ યાત્રા ડાકોર તરફ જવા રવાના થઈ છે.