સુરતઃ કાપોદ્રા વિસ્તારમાં રહેતા અને હીરા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા રત્નકલાકારની ૧૨ વર્ષની પુત્રી ગત તા.૨/૨/૨૦૨૬ના રોજ સવારે ૧૦ વાગ્યાના સુમારે સોસાયટી બહાર આવેલી ફ્લોરમિલ પર બાજરો લેવા ગઈ હતી.તે સમયે ત્યાં હાજર રહેલા આધેડે સગીરાને તેનું નામ અને ગામ પૂછ્યું હતું. બાળકી જ્યારે લોટ લઈને પરત ઘરે જઈ રહી હતી, ત્યારે આ આધેડે તેનો પીછો કર્યો હતો. જે બાદ આગળ ફરી નરાધમ આધેડે આવાસના ગેટ પાસે સગીરાને આંતરી બાહુપાશમાં લઈ ફરીથી તેનું નામ પૂછ્યું હતું.