મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો ભવ્ય અને દિવ્ય બનાવવાનું આયોજન છે.રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સેવાઓની તૈયારી થઈ રહી છે. જેમાં એક મહત્વની સેવા પીજીવીસીએલ છે.વર્ષ 2026માં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભવનાથ મહાદેવના મેળાને ભવ્ય થી દિવ્ય બનાવવા જુનાગઢ નું વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં જોતરાઈ ગયું છે.