સુરતઃ લિંબાયતમાં રહેતી 65 વર્ષીય વૃદ્ધા સુપડીબાઈ શંભુભાઈ રાઠોડનું અચાનક તબિયત બગડતાં નવી સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. જે કે, મૃતદેહ સોંપવા માટે જરૂરી કાગળ તૈયાર કરવાના બદલે પોલીસે પરિવારને હોસ્પિટલથી 10થી 12 કિલોમીટર દૂર લિંબાયત પોલીસ સ્ટેશન પર બોલાવીને મુશ્કેલી વધારી હતી.નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો અનુસાર, ગણેશનગરમાં રહેતી સુપડીબાઈને છેલ્લા અઠવાડિયાથી ચક્કર અને અન્ય તકલીફો હતી.