ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા દ્વારા આજે ખેડૂત ખાતેદાર પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રમાણપત્રો ચોટીલા અને મુળી તાલુકાના ચાર અરજદારોને આપવામાં આવ્યા હતા.પ્રમાણપત્ર મેળવનારાઓમાં ચોટીલા તાલુકાના દેવસર ગામના ઘનશ્યામભાઈ શાંતિલાલ કાચા અને શાંતિલાલ ગોકળભાઈ કાચા (બંને રહે. રાજકોટ)નો સમાવેશ થાય છે.