મેંદરડા તાલુકાના સમઢિયાળા ગામની ગૌશાળા ખાતે સ્વાસ્થ્યનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વર્તમાન સમયમાં વધતી જતી વા, સાંધાના દુખાવા, કેન્સર, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓના કારણો અને તેના નિવારણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે દવા વગર સ્વસ્થ અને તંદુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.