ચોટીલા તાલુકાના ચાણપા ગામે આગામી 12 ફેબ્રુઆરી, 2026ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ' અંતર્ગત મુલાકાત લેશે. આ કાર્યક્રમના આયોજન માટે 9 ફેબ્રુઆરી, 2026ના રોજ ચાણપા પ્રાથમિક શાળામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ કરી હતી.