જૂનાગઢમાં ભવનાથમાં યોજાતા મહાશિવરાત્રીનો મેળો રાજ્ય સરકારના પ્રયાસોથી વધુ ભવ્ય અને દિવ્ય બનવા જઈ રહ્યો છે, ત્યારે તેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેકટર એસપી કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા ભવનાથ ક્ષેત્રની મુલાકાત લઇ, સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત સાધુ સંતો અને મોટી સંખ્યામાં પધારતા ભાવિકોની સુગમતા માટે અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કરવાની સાથે જરૂરી દિશાનિર્દેશો પણ આપ્યા હતા.