આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકરોલમા બાકી મિલકત વેરો ન ભરનાર વધુ 15 દુકાનો સીલ કરવામાં આવી
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના મુજબ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા બાકી મિલકત વેરો ન ભરનાર સામે ખાસ ઝુંબેશ હાથ ધરી છે.મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા બાકરોલ વિસ્તારમાં આવેલ આસ્થા એપાર્ટમેન્ટમાં આવેલ 15 દુકાનો સીલ કરાઈ હતી.