વરાછા હીરા બજારમાં હીરા દલાલી કરતા ડાહ્યાભાઈ વાઘાણી ને રૂપિયા દસ લાખની સોનાની લગડી મળી આવી હતી.સોમવારે મળી આવેલી લગડી બાદ તેઓએ 20 જેટલા પોસ્ટરો છપાવ્યા હતા.જે લગડીના પુરાવા આપી વસ્તુ લઈ જવી જેવા લખાણ સાથેના પોસ્ટર અલગ અલગ જગ્યાએ માર્યા હતા.જેથી મૂળ માલિક ચેતન અદાણી એ ડાહ્યાભાઈ વાઘાણી નો સંપર્ક કરતા ડાયમંડ એસોસિએશનની હાજરીમાં લગડી પરત કરી ઈમાનદારી નું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.