ગોધરા તાલુકાના મોરડુંગરા પાસે અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે અને ગફલતથી વાહન હંકારી બાઈકચાલક જીગ્નેશભાઈને ટક્કર મારી હતી, અકસ્માતમાં તેમને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. મૃતકના ભાઈ ગિરીશભાઈએ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અકસ્માત પછી અજાણ્યો વાહનચાલક સ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે અજાણ્યા ચાલક સામે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.