ગારીયાધાર તાલુકાના શિવેન્દ્રનગર ગામે રાત્રિના સમયે સિંહની હાજરીથી ફરી એકવાર ભયનો માહોલ સર્જાયો હતો. શિવેન્દ્રનગર પાટિયા નજીક વિનુભાઈ ભીમજીભાઈ કુકડીયાની વાડીની બાજુમાં આવેલા ખારા વિસ્તારમાં સિંહે બળદનું મારણ કર્યું હોવાની માહિતી સામે આવી છે. સવાર થતાં જ સ્થાનિકોએ બળદનું મૃતદેહ જોયું અને ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.