કેન્દ્રીય પૂર્વ મંત્રી સ્મૃતિ ઈરાની આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. ભાજપ કાર્યાલય ખાતે આયોજિત એક વિશેષ પત્રકાર પરિષદમાં તેમણે કેન્દ્ર સરકારના તાજેતરના બજેટને 'પ્રગતિશીલ ભારતનું બજેટ' ગણાવી તેની વિવિધ જોગવાઈઓ અને અસરો વિશે વિગતવાર માહિતી આપી હતી.સ્મૃતિ ઈરાનીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સામર્થ્યને વધારવા માટે આ સર્વગ્રાહી બજેટ રજૂ કર્યું છે.