ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો. મેળામાં મહત્વનો ભાગ એટલે અન્નક્ષેત્ર અને ઉતારા મંડળ.. ભવનાથ વિસ્તારમાં કુલ 235 જેટલા ઉતારા અને અન્નક્ષેત્ર મેળા દરમિયાન કાર્યરત રહે છે શ્રદ્ધાળુઓ માટે 24 કલાક ભોજન પ્રસાદની નિસ્વાર્થ સેવા પીરસવામાં આવે છે ત્યારે ઉતારા અને અન્નક્ષેત્ર ના માલસામાનના વાહનોની એન્ટ્રી ને લઈ નિર્ણય કર્યો છે 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન સવારના 5 થી 9 વાગ્યા સુધી સંસ્થાના માલ સામાન ના વાહનોને પ્રવેશ આપવામાં આવશે.