ગાંધીધામને સ્માર્ટ સિટી અને મેગા સિટી બનાવવાના હેતુથી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાની વચ્ચે મનપા ખાતે વ્યૂહાત્મક બેઠક યોજાઈ હતી. ચેમ્બર પ્રમુખ તેજાભાઇ કાનગડે શહેરના ભાવિ વિકાસ માટે આધુનિક લાઇબ્રેરી, સર્વિસ રોડની સુધારણા અને ટ્રાફિક વ્યવસ્થા જેવા મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા. મંત્રી મહેશ તીર્થાણીએ રખડતા પશુઓ માટે નંદીશાળા અને આધુનિક પેડેસ્ટ્રિયન ઓવરબ્રિજની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.