સુરતના લિંબાયત, વિભાગ-૨માં ધંધો કરતા રેડીમેન્ટ ગારમેન્ટના વેપારી દ્વારા ડિલિવરી કરવા માટે આપેલા રૂપિયા ૧૪.૬ કરોડની કિંમતના પાર્સલો ઈ-કાર્ડ અને ફ્લિપકાર્ટ લોજિસ્ટિક્સના ટીમ લીડર સહિત છ કર્મચારીઓઍ બારોબાર સગેવગે કરી સસ્તામાં વેચી નાંખી વેપારી સાથે છેતરપિંડી કરી હોવાનો નારાયણનગર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.વરાછા, રોડ ગ્રીન પાર્કમાં રહેતા ૪૪ વર્ષીય રૂપેશભાઈ પ્રાગજીભાઈ દેસાઈ લિંબાયત નારાયણનગર વિભાગ-૨માં રેડીમેન્ટ ગારમેન્ટનું ખાતુ ધરાવે છે.