નોંધનીય છે કે, ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેવાઓ વધુ સશક્ત બનાવવા, પોષણ અભિયાન તથા રસીકરણ અંગે ગ્રામ્યસ્તરે વ્યાપક જાગૃતિ વધે તે દિશામાં કામગીરી કરવા માટે પણ કલેક્ટરએ કેટલાંક રચનાત્મક સૂચનો આપ્યા હતા. દર્દીઓના પરિવારજનો પણ આ તકે ઉપસ્થિત રહ્યાં હતાં, અને જિલ્લામાં આરોગ્ય સેવાઓ, સારવાર અને સુવિધાઓ અંગેના પોતાના પ્રતિભાવ પ્રસ્તુત કર્યા હતા.