તારાપુર પંથકમાંથી પસાર થતી સાબરમતી નદીના જળ સ્તરમાં એકાએક વધારો થતા જનજીવનને અસર વર્તાઈ છે. સાબરમતી નદીના પાણી પચેગામ, નભોઈ, રીંઝાના માર્ગો પર ફરી વળ્યાં છે.જેને કારણે પચેગામ નભોઈ, રીંઝાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે.તેમજ ફતેપુરાથી રીંઝા રોડ પર નદીનાં પાણી ફરી વળ્યા છે.ફતેપુરા ગામ પાસેના ખેતરો માં પણ પાણી ફરી વળતા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે જેને લઇ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.