ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચના આત્મીય હોલ ખાતે ગતરોજ સાંજે ભરૂચ વિધાનસભાનું પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સંમેલનનો મુખ્ય વિષય 'નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ' હતો.આ સંમેલનના મુખ્ય વક્તા તરીકે વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરે ઉપસ્થિત કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકોને GSTના નવા સુધારાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.