જામનગર સહિત હાલાર પંથકમાં આજે ગણેશચતુર્થીને લઈ ગણેશભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો હતો. નાના મોટા અનેક પંડાલો તેમજ ઘરોમાં આજે વાજતેગાજતે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારાના તાલ અને અબીલ ગુલાલની છોડો વચ્ચે ગણપતિ બાપા મોરીયા ના નાદ સાથે શહેરીજનોએ ગણપતીજીની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરી હતી. તેમજ ગણેશજીની મૂર્તિ લેવા માટે લોકો ગઈકાલથી જ મોટી સંખ્યામાં ઉમટયા હતાં.