રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા મહાનુભાવો એ ખંભાળિયા ડેપો ખાતેથી 6 નવીન બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ કહ્યું હતું કે, યાતાયાત ના માધ્યમોમાં એસ.ટી બસ પાયાનું તથા અગત્યનું માધ્યમ રહ્યું છે.