Download Now Banner

This browser does not support the video element.

તારાપુર: સાબરમતી નદીમાં 11,917 ક્યુસેક પાણી છોડાતા તારાપુર અને ખંભાતના નદી કાંઠાના 13 ગામોને સાવધ કરાયા.

Tarapur, Anand | Aug 24, 2025
સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં કુલ 9 ગેટ ખોલી હાલમાં 11,917 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.જેને લઈને પૂરતી સંભવિત અસરગ્રસ્ત થનાર તમામ ગામોને સલામતીના યોગ્ય પગલાં લેવા માટે નાયબ કાર્યપાલક ઈજનેર,પૂર નિયંત્રણ કક્ષ અમદાવાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.જેમાં તારાપુર તાલુકાના ગલીયાણા,રીંઝા,ખડા મિલરામપુરા,ચીતરવાડા,દુગારી,નભોઈ,મોટા કલોદરા ફતેપુરા,પચેગામ,કસબારા અને ખંભાત તાલુકાના ગોલાણા, પાંદડ ગામોને સાવચેત કરાયા છે
Read More News
T & CPrivacy PolicyContact Us