લીલીયા શહેરના પુંજાપદર રોડ પર જૂની અદાવતને લઈને બે જૂથોમાં મારામારી થઈ હતી. હથિયાર વડે હુમલામાં પરેશભાઈ વાઘેલા, બદરુભાઈ ચારોલી સહિત અનેક વ્યક્તિઓ ઘાયલ થયા. પ્રાથમિક સારવાર બાદ તમામને વધુ સારવાર માટે અમરેલી ખસેડાયા છે. બનાવ પછી વિસ્તારમાં તંગદિલી છવાઈ છે.