રાજુલાના વીસળિયા મુકામે કોંગ્રેસ દ્વારા યોજાયેલ કૃષિ આંદોલન અંગે સોશિયલ મીડિયામાં "આંદોલન બન્યું ફિયાસ્કો" એવા મેસેજો વાયરલ થતા રાજકીય ગરમાવો સર્જાયો છે. આ આક્ષેપો વચ્ચે આંદોલન આયોજક તથા કોંગ્રેસના કાર્યકર દીપકભાઈ ત્રિવેદીએ આજે ૮ કલાકે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા લોકોના હિતમાં ઊભી રહી છે.