પોરબંદર શહેરના મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી ડહોળું વિતરણ થતું હોવાથી શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ વાતાવરણને લઈને શહેરમાં રોગચાળો વધ્યો છે તેવામાં જ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ડહોળું પાણી વિતરણ કરવામાં આવતા વધુ રોગચાળો ફેલાવવાની દહેશત જોવા મળી રહી છે.ત્યારે આ સમસ્યાને લઈને સામાજિક આગેવાને રજુઆત કરી છે.