ગીર પંથકની લીલીછમ વનરાઈ વચ્ચે તાલાલા તાલુકાના ધણેજ (બકુલા) ગામ નજીક ડુંગર પર પીઠડ આઈ માતાજીનું મંદિર આવેલું છે. લગભગ 400 વર્ષ પહેલા પ્રગટ થયેલા આ મંદિરમાં ભાદરવા માસના દરેક સોમવારે લોકમેળો યોજાય છે. આ મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું, ત્યારે મેળાની મોજ સાથે મનમોહી લેતા કુદરતી સૌંદર્યના ડ્રોન વીડિયો આંખોને ઢાઢક આપે છે.