માધવપુરની શેઠ એન.ડી.આર સરકારી હાઈસ્કૂલ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવા એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા આપત્તિ સમયે કઈ રીતે પોતાની સુરક્ષા કરવી અને અન્ય લોકોને પણ મદદરૂપ બની શકાય તે માટેનો ડેમો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિદ્યાર્થીઓને આપત્તિ સમયે સ્વસહાય અને પરસ્પર સહાય દ્વારા જીવન બચાવવાના કૌશલ્ય વિશે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.