ચુડામાં આ વર્ષે વિકાસ ના કામો ઘણા થયા છે પરંતુ અત્યારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ના નિકાલ માટે કોઈ સુવિધા ન હોય રહિશો ને મુશ્કેલી પડી રહી છે. સામાજિક કાર્યકર સુરેશભાઈ વાડોદરા એ આગેવાનો અને કાર્યકરો સાથે રાખી આવેદન આપ્યું અને પ્રતિક્રિયા આપી એમાં જણાવ્યું હતું કે કેટલાક માથાભારે તત્વો એ પાકા પાળા નાખી રસ્તો બંધ કરી દીધો છે. જેથી વરસાદી પાણી ના નિકાલ ન થતા રહેણાક વિસ્તારમાં રોડ પર પાણી ભરાતા રોગચાળો ફેલાવાની દહેશત છવાઈ છે.