ઝાલાવાડ ને ગોહિલવાડ સાથે જોડતો લીંબડી ભોગાવો નદી પર નો જુનો પુલ જર્જરીત થતા નવા પુલ નુ નિર્માણ કરવા મા આવ્યુ હતું. પરંતુ થોડા વર્ષો મા આ નવા પુલ પર પણ ગાબડા અને મસ મોટા ખાડાઓ પડી જતા નાના મોટા ભારે વાહનો ને પસાર થતા ભારે મુશ્કેલીઓ પડે છે જે સંદર્ભે સામાજિક આગેવાન જગદીશભાઈ મકવાણા એ પ્રતિક્રિયા આપી હતી અને ગંભીરા બ્રીજની દુર્ઘટના જેવી ઘટનાની ભીતિ સેવાઈ રહી છે વહેલી તકે આ પુલ પર યોગ્ય રીતે મજબુતાઇ થી રિપેરીંગ કામ કરવામાં આવે એવી માગણી કરી હતી