સોજીત્રા તાલુકાના ઇષ્ણાવ ગામે ગત દિવસોમાં પડેલા વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા. ગામના વણકરવાસ સહિત વિવિધ વિસ્તારમાં જવાનો આરસીસી રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરતા તંત્ર સફાળૂ જાગ્યુ છે અન જેસીબી મશીન દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.