છોટા કાશી તરીકે ઓળખાતા લીંબડી શહેરમાં સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર ખાતે ચાલી રહેલી ચાર્તુમાસ માનસ ઉતરકાંડ કથા એ 38 દિવસ બાદ વિરામ લેતા વ્યાસ પીઠ પરથી વકતા મહામંડલેશ્વર લલીતકિશોલશશરણજી બાપુએ કથા સમાપન કર્યું હતું. આ પ્રસંગે કાશી અને દેવભૂમિ ઉત્તરાખંડ ના સંતો તથા ધારાસભ્ય કિરિટસિંહ રાણા તથા કૃષ્ણસિંહ રાણા વગેરે ઉપસ્થિત રહ્યા સમાપન સંચાલન બિપીનભાઇ ખાંદલા એ કર્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો સેવકો ઉપસ્થિત રહ્યા હતા.